ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લીધી

0
કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી.  સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશ આપતા રાષ્ટ્રપતિશ્રીને જણાવ્યું હતું કે, સ્મૃતિવન મ્યૂઝિયમની કારણે પર્યટકો અહીં આવે છે. રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્છ સાંસદશ્રી વિનોદ ચાવડા, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ.છાકછુઆક, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, મદદનીશ કલેક્ટર શ્રી ઇ.સુસ્મિતા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર શ્રી મિતેષ પંડ્યા, ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર શ્રી ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અર્શી હાસમી, નાયબ વન સંરક્ષક શ્રી બી.એમ.પટેલ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.‌


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top