અરજીપત્રકો જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતે તા.૧૭ માર્ચ ૨૦૨૫ સુધીમાં મોકલી આપવાના રહેશે
વર્ષ-૨૦૨૪ના રાજ્ય દિવ્યાંગ પારિતોષિકોની સ્પર્ધા માટે શારિરીક રીતે ૪૦% કે તેથી વધારે ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફિસર્સ પાસેથી નિયત નમુનામાં અરજીઓ સાધનિક દસ્તાવેજો સહિત મંગાવવામાં આવે છે. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો www. talimrojgar. gujarat.gov.in ઉપરથી વિનામૂલ્યે મળી રહેશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફીસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગત જણાવવની તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો સામેલ કરવાના રહેશે.
પારીતોષિક માટેના નિયત અરજીપત્રકો જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગરમાંથી વિનામૂલ્યે મળી રહેશે. ભરેલા અરજીપત્રકો જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર ખાતે તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. વધુ માહિતી માટે સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એમ રોજગાર અધિકારીશ્રી (જનરલ)ની એક અખબારી યાદીમાં વધુમાં યાદીમાં જણાવ્યું છે.